Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

અમદાવાદના વટવામાં ભરબજારે કરિયાણાની દુકાનમાં ધુસીને દુકાનદારની કરપીણ હત્યા

મૃતકના પત્ની જોર જોર થી રડવા લાગતા ને બૂમો પડતા હત્યાની જાણ થઈ

અમદાવાદમાં તહેવારનાં માહોલમાં એક દુકાનદારની અજાણ્યાં લોકોએ દુકાનમાં ઘૂસી હત્યાં કરી છે. વટવા વિસ્તારમાં બનેલી આ હત્યાનાં પગલે પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે કરિયાણાની દુકાન ચલાવનાર યુવકની હત્યા કોણે અને કેવી રીતે કરી તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે

મૂળ રાજસ્થાનનાં અને હાલ વટવા આશાપુરામાં રેસીડેન્સીમાં રહેતા બુદ્ધારામ પક્કારામજી ચૌધરી (24) મામાનાં દિકરા દિનેશની દુકાની લાઈનમાં જ મહાલક્ષ્‍મી ડેરી ધરાવી ધંધો કરે છે. તેઓ ગુરુવારે રાતે 11 વાગ્યાની આસપાસ દુકાને હતાં. તે દરમિયાન દિનેશનાં પત્ની જોર જોરથી રડી રહ્યાં હતાં અને બુમો પાડી રહ્યાં હતાં. બુદ્ધારામે નજીક જઈને જોયું તો દિનેશ દુકાની અંદર લોહી લુહાણ પડ્યો હતો.

મૂળ રાજસ્થાનનાં અને વટવામાં રહેતા દિનેશકુમાર માલારામ ચૌધરી વટવા મહાલક્ષ્‍મી તળાવ પાસે મહાલક્ષ્‍મી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતાં હતાં. તેઓ પત્ની સાથે મળી કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. ગુરુવારે રાતે 11 વાગ્યાની આસપાસ દિનેશ તેમની દુકાને હતાં. તે દરમિયાન અજાણ્યાં લોકોએ કોઈ હથિયાર વડે તેમનાં માથાં પર વાર કરી હત્યા કરી હતી.

દિનેશને લોહીલુહાણ જોઈને બુદ્ધારામ અને તેનાં મિત્ર પવન સાથે બહાર લાવ્યાં હતાં.તેમણે 108ને બોલાવી હતી. જોકે 108એ દિનેશને મૃતક જાહેર કર્યો હતો. બુદ્ધારામે દિનેશની હત્યાનાં પગલે અજાણ્યાં ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો વટવા પોલીસ સ્ટેશનમાં દાખવ કરાવ્યો હતો. વટવા પોલીસ ઘટનાનાં પગલે સ્થળ પર પહોંચી હતી. તેમજ પંચનામું કરી દિનેશનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

(11:56 am IST)