Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતમાં : માણસામાં સહ પરિવાર બહુચર માતાજીના મંદિરે આરતીમાં જોડાયા

રાજોપ્ચાર પૂજા-અર્ચના કરી સહપરિવા સાથે માતાજીની આરતી ઉતારી

 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં સહ પરિવાર સાથે પહોંચ્યા અને બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સામેલ થયા  હતા

  અમિતભાઇ શાહે માણસામાં પોતાના પૈતૃક ગામમાં આવેલા કુળદેવી બહુચર માતાના દર્શન કરીને રાજોપ્ચાર પૂજા-અર્ચના કરી સહપરિવા સાથે માતાજીની આરતી ઉતારી હતી.

   અત્રે ઉશેલખનીય છે કે અમિતભાઇ  શાહને માણસાના બહુચર માતા પર અપાર શ્રદ્ધા છે. કારણે તેઓ દર વર્ષે નવરાત્રીના બીજા દિવસે સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે. અત્યાર સુધી ફક્ત 2011માં તેઓ નવરાત્રી દરમિયાન  માતાજીના દર્શને આવી શક્યા હતા. .

(1:00 am IST)