Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા વિરમગામ અને દેત્રોજ તાલુકામાં પ્રતિમાની સફાઇ કરવામાં આવી

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના સંયોજકો દ્વારા મહાપુરૂષની પ્રતિમા સફાઇ અને માલ્યાર્પણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ અને દેત્રોજ તાલુકામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા મહાપુરુષોની પ્રતિમાની સફાઇ કરવામાં આવી હતી.  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના સંયોજકો દ્વારા પ્રતિમા સફાઇ અને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતુ. દેત્રોજ તાલુકાના રામપુરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના સંયોજક ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ તથા મનિષસિંહ તથા યુવાનો દ્વારા પરમ પૂજ્ય પ્રાત: સ્મરણીય પ્રભાતપુરી ગોસાઈ સાહેબની પ્રતિમા સફાઇ અને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતુ. તેઓએ પોતાનું સમગ્ર જીવન ભારતના ભવિષ્ય એવા વિધ્યાર્થીના ઘડતરમાં ખપાવી દીધું હતુ. રાજય તથા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રભાતપુરી સાહેબના જીવન મંત્રો હતા પ્રભુ કામ કરવાની તક અને તાકાત આપે બાકી જોઈ લઈશ, સ્વમાની સ્વભાવ ફરજ અને ભક્તિ, સિધ્ધાંત ખાતર કદી કોઈ આગળ ઝુકવું નહીં. આજે પણ સાહેબના મંત્રો એમના વિદ્યાર્થીઓ અનુસરે છે.
       સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રેરણાતીર્થ ડૉ. જીગરભાઈ ઇનામદાર, ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ વિરમગામમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સાફસફાઇ અને ફુલહાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમા તાલુકા સંયોજક રસીકભાઈ કોળી, જગદીશભાઈ રાવળ, નગર સંયોજક નીલેશ રાણા તથા એબીવીપી જીલ્લા પ્રમુખ તેજસભાઈ વજાણી ઉપસ્થિત રહ્યા હતા.

(8:13 pm IST)