Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વલસાડમાં ત્રણ લૂંટારાઓ વૃધ્‍ધ દંપતિના ઘરમાં ત્રાટકયા: ૧૩ તોલાના દાગીના અને ૮પ હજારની રોકડ લૂંટી ફરાર : વૃધ્‍ધ મહિલાનું મોત

વલસાડનાં ભૂતસર ગામે મોડીરાત્રીનાં સુમારે 3 લૂંટારુઓ એ વૃદ્ધ દંપતીનાં ઘરમાં ત્રાટકી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમાં વૃદ્ધ મહિલાનું મોઢું દબાવવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

વલસાડ જિલ્લાનાં ધરમપુર રોડ પર આવેલ ભૂતસર ગામે રહેતા દીપસિંહ ભાઈ સોલંકી અને રમીલાબેન સોલંકીને ત્યાં મોડીરાત્રે 3 જેટલા લૂંટારુઓ ત્રાટકયા હતા. ઘરનાં પાછળનાં ભાગે આવેલ એક દરવાજો ખુલ્લો રહી જતા લૂંટારુઓ ઘરમાં આ દરવાજા મારફતે પ્રવેશ્યા હતા. જેને પગલે રમીલાબેન એ અવાજ કરતા લુંટારાઓએ તેમનું મોઢું દબાવ્યું હતું. જેને કારણે રમીલાબેન બેભાન થઇ ગયા હતા. લૂંટારુઓએ ઘરમાં રાખેલા દાગીના અને રમીલાબેને પહેરેલા દાગીના કાઢી લીધા હતા અને ઘરમાં મુકેલા રોકડની લૂંટ ચલાવી હતી. આશરે 13 તોલા દાગીના અને 85 હજાર રોકડ રકમની લૂંટ ચલાવી ઘરમાં દંપતીને બંધ કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ આજુબાજુનાં લોકોને બૂમો પાડી બોલાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા. જેમાં વૃદ્ધ મહિલા રમીલાબેન ભાનમાં ન આવતા 108 એમ્બ્યુલન્સ વડે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે રમીલાબેનને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી પોલીસની તમામ ટીમો એસઓજી એલ.સી.બી. લોકલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સ્વ. પૂજયશ્રી પ્રવીણકાકા મણીઆરના જન્મ દિવસ(૦૧/૦૯/ર૦ર૦) નિમિત્તે વી.વી.પી. પરિવારની ભાવવંદના.દદીઁ નારાયણ, દરિદ્ર નારાયણ તથા પશુ-પક્ષી નારાયણની સેવા, વૃદ્ઘાશ્રમ, પાંજરાપોળમાં શ્રીદાન દ્વારા ''સેવા-દિન''.

 

શિક્ષણ-સમાજ-રાષ્ટ્ર સેવાના આજીવન ભેખધારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક, સંસ્કાર લક્ષી શિક્ષણપ્રેમી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉચ્ચ શિક્ષણના પ્રણેતા, વી.વી.પી.ના સ્થાપક ચેરમેન સ્વ. શ્રી પ્રવીણકાકા મણીઆરના જન્મ દિવસ તારીખ ૧ સપ્ટેમ્બર, ર૦ર૦ નિમિત્તે વી.વી.પી. પરિવાર દ્વારા ભાવવંદના કરવામાં આવી રહી છે. જેમાં વી.વી.પી. પરિવાર દ્વારા વૃદ્ઘાશ્રમ, પાંજરાપોળમાં અનુદાન દદર્ી નારાયણ, દરિદ્ર નારાયણ, પશુ-પક્ષી નારાયણની સેવા દ્વારા સેવા દિનની ઉજવણી કરવામાં આવશે.

વૃદ્ઘાશ્રમમાં માતા-પિતાને ભોજન, ગાયોને ઘાસ, કબૂતરને ચણ દ્વારા સાચા અર્થમાં હ્રદયસ્થ સ્વ. શ્રી પ્રવીણકાકાને ભાવવંદના  વી.વી.પી. પરિવાર દ્વારા કરવામાં આવશે.

૧ સપ્ટેમ્બર, ૧૯૩પના રોજ જન્મેલ શ્રી પ્રવીણભાઈ રતીલાલ મણીઆર એટલે મુલ્યનિષ્ઠ શિક્ષણ સાધક, સેવા સાધક, સ્વદેશીના આગ્રહી, જીવદયા પ્રેમી તેમજ સંગઠન સાધક. માનપૂર્વક સમગ્ર દેશ જેઓને પ્રવીણકાકાના બહુમાનથી સંબોધીત કરે છે, તેઓ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જનાર તથા અનેકવિદ સામાજીક, સેવાકીય સંગઠનાઓમાં જવાબદારી નિભાવતા વષર્ો સુધી આર.એસ.એસ. ગુજરાતના પ્રાંત કાર્યવાહ રહેલ તેમજ પશ્ચિક્ષેત્રના સંપર્ક પ્રમુખ તરીકે જવાબદારી વહન કરી સ્વૈચ્િછક નિવૃતિ લીધા પછી પણ સ્વયંસેવક તરીકે ટાઢ, તડકો અને વરસાદની કોઈપણ પરિિસ્થતિમાં-કોઈપણ શહેરમાં દરરોજ શાખામાં તો અચુક જાય જ છે. કે.જી. થી પી.જી. સુધી મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંચાલક બળ શ્રી પ્રવીણકાકાએ સૌરાષ્ટ્ર યુનિવસર્િટીની સ્થાપના કાળ ૧૯૬૭ થી ૧૯૯૭ સતત ૩૦ વર્ષ સુધી સેનેટ સભ્ય તેમજ ર૮ વર્ષ સિન્ડીકેટ સભ્ય રહ્યા બાદ રૂા. ૧,૧૧,૧૧૧-૦૦નું શ્રી દાન આપી સ્વૈચ્િછક નિવૃતિ લીધી. પ. પૂ. ગુરૂજીના શબ્દો ''રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ્- મારૂ બધુ મારા રાષ્ટ્રને અર્પણ''ને જીવન મંત્ર બનાવી છેલ્લા ર૦ વર્ષથી વકીલાત છોડી ''સ્વ'' માટે નહીં તો સર્વ માટે કામ કરનાર ''મે નહીં તુ હી'' ના સિદ્ઘાંતને ધ્યાનમાં રાખી બીજાને હર હંમેશ પદ અપાવનાર તથા પરિવાર ક્ષેત્રની બધી જ સંગઠનાનો પાયો ધરબી પૂર્ણ વિકસીત કરી સ્વનિર્ભર બનાવી એક કુશળ સંગઠકનો પરિચય કરાવનાર શ્રી પ્રવીણકાકાએ પૂર, અછત, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડુ, પ્લેગ જેવી કુદરતી આફતો વખતે અડિખમ ઉભા રહી સેવા ભારતીના માધ્યમથી અદ્વિતીય સમાજ સેવા કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડીગ્રી ઈજનેરી કોલેજ-વી.વી.પી. ઈજનેરી કોલેજ, એક માત્ર આકર્િટેક કોલેજ-શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરની સ્થાપનાનું શ્રેય શ્રી પ્રવીણકાકાને જાય છે. વી.વી.પી. ટ્રસ્ટના માધ્યમથી શ્રી પ્રવીણકાકાએ ઉત્કૃષ્ટ સંસ્કારો સાથે ઉચ્ચશિક્ષણ, પારદર્શક અને પ્રામાણીક વહિવટનું અનુકરણીય ઉદાહરણ પૂરુ પાડયું છે. શ્રી પ્રવીણકાકાના કુશળ માર્ગદર્શન હેઠળ વી.વી.પી.એ અતિઆધુનિક ગુરૂકુળની ખ્યાતી પ્રાપ્ત કરેલ વી.વી.પી.એ આઈ.એસ.ટી. દ્વારા ''ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ''નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે જે પ્રવીણકાકાની દિર્ઘદ્રષ્ટિ કામ કરી ગયેલ છે અને આઈ.એસ.ટી.ઈ.ના ર૧ માં સ્ટેટ એન્યુઅલ ફેકલ્ટી કન્વેન્શન-ર૦૧૬ માં વી.વી.પી. ને ત્રણ જુદા જુદા એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યા. જેમાં વી.વી.પી. માટે તન, મન અને ધનથી સદાય સમપિઁત એવા ચેરમેન સ્વ. શ્રી પ્રવીણકાકા મણીઆરને ગુજરાતમાં ટેકનિકલ ક્ષોત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'એવોર્ડ ઓફ સ્ટેટ ઓનર' આપવામાં આવેલ હતો.

''યહ વહ ભારત હે, જહાં માનવ કો ભી ઈશ્વર બનને કા અવસર દિયા જાતા હૈ.''

(1:30 pm IST)