Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વડોદરાના માંજલપુરમાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

. 65 વર્ષની વૃદ્ધાનું ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ: માંજલપુરના રહીશ વૃદ્ધા બે દિવસથી GMERS હોસ્પિટલમાં દાખલ હતા.

ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ ચિંતા વધારી છે. ગુજરાતમાં એક પછી એક સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઇ રહ્યા છે.વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂનો કેર સતત વધતો જઇ રહ્યો છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એક વૃદ્ધાનું મોત થયુ છે. 65 વર્ષની વૃદ્ધાનું ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. માંજલપુરના રહીશ વૃદ્ધા બે દિવસથી GMERS હોસ્પિટલમાં દાખલ હતા

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક મોત થતા લોકોમાં ચિંતા વધી છે. વડોદરાના માંજલપુરમાં રહેતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેના પગલે વડોદરામાં લોકોમાં સ્વાઇન ફ્લૂ ફેલાવાનો કહેર છે. માંજલપુરમાં રહેતા વૃદ્ધાની થોડા દિવસ પહેલા તબિયત લથડી હતી. જે પછી તેમને ગોત્રી GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી સારવાર દરમિયાન તેનું મોત થયુ છે. આ પહેલા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીનું મોત થયું હતુ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાંથી એક દર્દીનું મોત થયુ હતુ. .

 

(11:55 pm IST)