Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ધાનેરામાં શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવા રેલી : જૈન સમાજ અને હિન્દૂ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર

કતલખાના બંધ નહીં કરાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

 

ધાનેરા ;શ્રાવણ માસમાં કોઈ જીવ હત્યાના થાય તે માટે ધાનેરામાં જૈન સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  ધાનેરામાં અસંખ્ય ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. જેમાં રોજ અસંખ્ય જીવોની હત્યા થાય છે. ત્યારે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં હત્યા ના થાય તે માટે હિન્દુ સંગઠનો અને જૈન સમાજ દ્વારા કતલખાનાના વિરોધમાં રેલી યોજાઈ હતી. રેલીમાં મહિલાઓ સહિત 500થી વધુ જોડાયા હતા અને ત્યારબાદ મામલતદાર, ચીફ ઓફિસર અને પી આઈને આવેદનપત્ર આપી કતલખાના બંધ કરાવવા માટે રજુઆત કરાઈ હતી. તેમજ જો શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ નહીં કરાવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી.

(12:00 am IST)