Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેવડિયામાં શૂળપાણેશ્વર મંદિરે શિવજીની પૂજા-અર્ચન કર્યા

છેલ્લા 21 વર્ષ થી કેવડિયા શૂળપાણેશ્વર મંદિરે પૂજા કરે છે

 

અમદાવાદ : રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 21 વર્ષ થી કેવડિયા શૂળપાણેશ્વર મંદિરે પૂજા કરવા આવે છે. શ્રાવણ મહિનાની શરૂઆતના અમાસે અને શ્રાવણ મહિનો પૂરો થાય એ અમાસે શિવજીની પૂજા અર્ચના કરે છે આ વર્ષે ભારે વરસાદ વચ્ચે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જાતે અટવાયા હતા ગાંધીનગર થી કેવડિયા આવતા દશ કલાક થયા ભારે વરસાદમાં તેઓ આખી રાત ગાડીમાં રહ્યા પણ હિંમત ન હારી અને પૂજા કરવા આવ્યા હતા .

ગાંધીનગરથી કેવડિયા પહોંચ્યા હતા.કેવડિયા પૂજા કર્યા બાદ કહ્યું કે વરસાદ નું પાણી જો અમેરિકાના વાઇટ હાઉસમાં ઘૂસતું હોઈ તો આપણે શું કરી શકીએ એમ કહી. આ વિઘ્ન કોઈ પણ નુકસાન વગર ટળે એવી પ્રાર્થના કરી.આ સાથે રાજ્યમાં હાલ વરસાદ થી જે તારાજી સર્જાઈ રહી છે જે માટે તમામ મંત્રી, કલેકટર, ડીડીઓ, સહિત તમામ ને એલર્ટ રાખી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન ઘડ્યો છે.જેમ બને તેમ ઓછું નુકસાન થાય અને તાત્કાલિક રાહત કામગીરી પહોંચે એવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

(9:31 pm IST)