Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરા જીલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત જાહેર કરાયા :શહેરમાથી બે મૃતદેહ મળ્યા

જિલ્લાના સાત ગામોનો સંપર્ક તૂટ્યો :15 ગામોના લોકોનું સ્થળાંતર

વડોદરા ;અતિ ભારે વરસાદના કારણે વડોદરાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે  જીલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત જાહેર કરાયા છે. જીલ્લાના સાત ગામોનો સંપર્ક કપાયો છે બીજી તરફ 15 ગામોના અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં વડોદરાના 1 હજાર 167 અને સાવલીના 170 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. સાથે વાઘોડીયાના 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં સાંબેલાધાર વરસાદને કારણે લોકો મુસીબતમાં મુકાયા છે. ત્યારે એસડીઆરએફની ટીમને બે લોકોની લાશ મળી આવી હતી. એસડીઆરએફની પાંચ ટીમો દ્વારા 1 હજાર 107 લોકોનું રેસ્ક્યુ કરાયું હતુ. જ્યારે 554 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. 17 બોટ અને બે તરાપાની મદદથી રેસ્કયું હાથ ધરવામાં આવ્યું હતુ.

(8:57 pm IST)