Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કાંકરેજના માનપુરમાં ઘરમાં ખોરાકી ઝેરની અસરથી દોડધામ :એક પરિવારના આઠ સભ્યોને ફૂડ પોઈઝિંગ

કેટલાકે દૂધ પીધું તો અન્યે દહીં ખાધું હતું ;તમામને શિહોરી હોસ્પિટલે ખસેડાયા

કાંકરેજ તાલુકાના માનપુર ગામે એક ઘરમાં ખોરાકી ઝેરની અસર થતા ચકચાર મચી છે. એક જ પરિવારના આઠ સભ્યોએ દૂધ અને દહીં ખાધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ દાખલ થયા હતા. ચોમાસાની સ્થિતિ વચ્ચે ફુડ પોઇઝનિંગ થતાં સગાવ્હાલાઓમાં દોડધામ મચી જવા પામી હતી 

    કાંકરેજ તાલુકાના માનપુર(શિહોરી) ગામે એક જ પરીવારના આઠ લોકોને અસર હતી પરિવારના સભ્યો પૈકી કેટલાકે દહીં તો કેટલાકે દૂધ પીધુ હતુ. જેમાં ગણતરીના કલાકો બાદ દહીં ખાધુ હતુ તેઓની તબિયત બગડયા બાદ દૂધ પીધુ હતુ તેઓની પણ તબિયત બગડી હતી.

    શિહોરી રેફરલ હોસ્પિટલના ડો.એમ.આર.ચૌધરીએ જણાવ્યુ હતુ કે, પરિવારજનો પૈકી દહીં ખાનારની તબિયત વધારે ખરાબ થઇ હતી. જયારે દૂધ ખાનારની પણ તબિયત થોડી બગડી હતી. હાલના તબક્કે આઠ લોકોને ફુડ પોઇઝનિંગ થયાનું સામે આવ્યુ છે. .

   ફૂડ  પોઈઝિંગની અસરગ્રસ્તોમાં ભીખીબેન મફતસિંહ  (ઉ.વ.60 ) મુનીબા ભીખુભા (ઉ.વ.27 ) સરસ્વતીબેન અભેસિંહ (ઉ.વ.22 ) કુવરબા કનુભા વાઘેલા (ઉ.વ.22) તારાબા વિષ્ણુભા વાઘેલા (ઉ.વ 28 ) ભીખુભા રવુભા રાઠોઙ (ઉ.વ.32 ) વિક્રમસિંહ કનુભા વાઘેલા (ઉ.વ.15 ) સુયાઁબા બાબુસિંહ સોલંકી (ઉ.વ.38) નો સમાવેશ થાય છે 

(8:08 pm IST)