Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વિશ્વામીત્રી નદીમાંથી વડોદરા શહેરમાં ઘુસી આવેલા મગરને વન વિભાગે ઝડપી લીધો

મગરે પાણીમાં શ્વાન પર હુમલો કરતા હવે વડોદરાવાસીઓમાં ભય ફેલાયો

વડોદરા : વન વિભાગ દ્વારા વડોદરાની સોસાયટીમાં ઘૂસેલા મગરને ઝડપી લેવામાં આવ્યો હતો.ભારે વરસાદના પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે વિશ્વામિત્રી નદીના પાણી પણ સપાટી કુદાવીને રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા છે. ત્યારે આ પાણી સાથે મગર વડોદરા રાજસ્તબી સોસાયટીમાં ઘૂસી આવ્યો.હતો જેમાં એક મગરે પાણીમાં શ્વાન પર હુમલો કરતા હવે વડોદરાવાસીઓમાં ભય ફેલાયો છે. આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યાં છે. જે મગરો હવે શહેરમાં ઘુસી ચૂક્યા છે.

(5:41 pm IST)