Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કાલે જવાહરભાઇ ચાવડાનું સન્માન

સર્જન ફાઉન્ડેશન અને શાળા સંચાલક મંડળ દ્વારા

રાજકોટઃ ગુજરાત રાજયના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ ખાતાના કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાનો સન્માન સમારોહ કાલે તા.રને શુક્રવારના રોજ સાંજે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શાળા સંચાલક મંડળના સંયુકત ઉપક્રમે ન્યુએરા સ્કુલ, રૈયા રોડ ખાતે સાંજે ૪ થી ૬ કલાક રાખવામાં આવેલ છે.  શ્રી જવાહરભાઇ ચાવડા માણાવદર વિધાનસભા પેટા ચુંટણીના જંગી બહુમતીએ વિજેતા થતા તેમને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મંત્રી મંડળમાં અતી અગત્યના ખાતા એવા પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ ખાતાના કેબીનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપેલ છે. તેઓ  જુનાગઢમાં આવેલ સુભાષ એકેડેમીના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ સન્માન સમારોહ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઇ પરમાર મો. ૯૮ર૪૩ ૧૩૯૧૪ મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા તેમજ શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ અને મહામંત્રી અવધેશભાઇ કાનગડના માર્ગદર્શન હેઠળ કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.

(4:25 pm IST)