Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વડોદરામાં વિજતંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે ૪૮ ફીડર બંધ કરાયા

રાજકોટ, તા. ૧ : વડોદરા શહેર ના કુલ ૩૦૪ વીજ ફિડર પૈકી ૪૮ ફિડર વરસાદી પાણી ભરાવા ને કારણે વીજ કરન્ટ થી કે અન્ય કોઇ રીતે નાગરિકો ના જાનમાલ ને નુકસાન ન થાય તે માટે સલામતી ના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. આના પરિણામે વીજ પુરવઠા ને અસર પહોંચી છે.

વરસાદી પાણી ઓસરતા જ આ વીજ ફિડરો પૂર્વવત કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે.

આ ફિડરો બંધ કરવાને કારણે વડોદરા ના ઈંદ્રપુરી સરદાર એસ્ટેટ કારેલી બાગ માંડવી પાણીગેટ દાંડિયા બજાર રાવપુરા ટાવર હરિનગર ગોત્રી અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે. વડોદરાના સૌ નગર જનોને આ સ્થિતિ ધ્યાને લઇ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ અનુરોધ કર્યો છે.

(4:05 pm IST)