Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પોરબંદર-મુંબઇ વચ્ચે ટ્રેન રદ: ભાવનગર રેલવે ડિવિઝનની ટ્રેનનો રૂટ બદલાયો

સુરતથી અમદાવાદ-વડોદરા તરફ જતી આવતી 20 જેટલી ટ્રેનોને અસર

અમદાવાદ, વડોદરા અને સુરતમાં વરસાદને લઇને પોરબંદર-મુંબઇ વચ્ચે ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્ર-એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ છે. ટ્રેન રદ થતા મુસાફરો અટવાયા છે. જ્યારે સુરતથી વડોદરા-અમદાવાદ ટ્રેન રવાના કરવામાં આવી નથી. સુરતથી અમદાવાદ-વડોદરા તરફ જતી આવતી 20 જેટલી ટ્રેનોને અસર છે.

વડોદરામાં ભારે વરસાદને પગલે ભાવનગર રેલવે ડિવિઝનની ટ્રેનોનો રૂટ બદલાયો. વડોદરા થઈને જતી ટ્રેનોનો રૂટ બદલાયો છે. આણંદ, ડાકોર અને ગોધરા થઈને ટ્રેન જશે. ગુજરાત શાંતિ એક્સપ્રેસ અને ઇન્દોર શાંતિ એક્સપ્રેસના રૂટ બદલાયા. તો સોમનાથ જબલપુર એક્સપ્રેસ અને પટના અમદાવાદ ટ્રેનનો પણ રૂટ બદલાયો.

(5:43 pm IST)