Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગુજરાતના પ્રિન્સીપાલ ચીફ ઇન્કમટેકસ કમિશનર પદે રવિન્દ્રકુમારની નિમણૂંક

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા બદલીનો ઘાણવો : દેશભરમાં ૧૬૬ આયકર ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી

અમદાવાદ તા. ૧ : ભારત સરકારના આયકર વિભાગે દેશભરના પ્રિન્સીપાલ ચિફ કમિશનરોની આંતરિક બદલીનો ઘાણવો કાઢયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા બદલીનો ઓર્ડર કાઢવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના બે પ્રિન્સીપાલ ચીફ કમિશનરનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા દેશભરના ૧૬૬ પ્રિન્સીપાલ ચીફ કમિશનર અને ડાયરેકટર જનરલ ઓફ ઇન્કમટેકસની આંતરિક બદલીના ઓર્ડરો ગઇકાલે નીકળ્યા હતા.

બદલીમાં ગુજરાતના નવા પ્રિન્સીપાલ ચીફ ઇન્કમટેકસ કમિશનર તરીકે શ્રી રવિન્દ્રકુમારની નિમણુંક કરવામાં આવી છે.  સીબીડીટી દ્વારા અમદાવાદ, સુરત, સિક્કમ, પોંડેચેરી, ભોપાલ, જયપુર, કાનપુર, દિલ્હી, પટણા, લખનૌ સહિતનાનો સમાવેશ થાય છે.

(12:50 pm IST)