Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ભાજપે કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી: કૌભાંડીને આકરી સજા કરી છે

કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.: પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ : મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કર્યાના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો બાદ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ભાજપે કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી. કૌભાંડ આચરનારાઓને આકરી સજા કરી છે.

 જાડેજાએ આ સાથે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ આવા નિવેદનોથી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. આ સાથે કોરોના મુદ્દે બોલા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે કોરોના ટેસ્ટ ઓછા થવાની સુફિયાણી સલાહ આપતાં પહેલાં કોંગ્રેસ અને તેના સાથીઓ પક્ષોના રાજ્યોની ટેસ્ટ સંખ્યાના આંકડા જોઇ લેવા જોઇએ-અમારે સલાહની જરૂરત નથી.

 

(11:08 pm IST)