Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંક મુંબઈ બાદ બીજાક્રમે પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના સંક્રમિતોનો આંક 4721 :અમદાવાદમાં કુલ 3293 કેસ

અમદાવાદમાં સતત ત્રણ દિવસથી 200 પ્લસ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 326 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 267 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 1, સુરતમાં 26, વડોદરામાં 19 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંક 4721 પર પહોંચ્યો છે. અમદાવાદમાં કુલ 3293 કેસ થયા છે.

 અમદાવાદમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 165 લોકોના મોત થયા છે. જ્યારે સુરતમાં 26, વડોદરામાં 21, ભાવનગરમાં 5, આણંદમાં 4 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંક મુંબઈ બાદ બીજા નંબરે પહોંચ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ આંક હવે 5000 તરફ ગતી કરી રહ્યો છે.

(9:22 pm IST)