Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં વધુ 267 કેસ સહીત રાજ્યમાં કોરોનાના 326 નવા કેસ :કુલ સંખ્યા 4721 : વધુ 22 દર્દીના મોત

અમદાવાદમાં નવા 267 કેસ। સુરતમાં 26 અને વડોદરામાં નવા 19 કેસ વધ્યા : રાજ્યમાં કુલ મૃત્યુઆંક 236 થયો

અમદાવાદ : કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 4721 થયા છે.

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4721 થઇ છે. જ્યારે 22 દર્દીઓના આજે મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 236 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે આજ રોજ 83 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધામાં કુલ કોરોનાગ્રસ્ત 696 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

આજના કુલ નવા કેસ

અમદાવાદ 267
બનાસકાંઠા 1
બોટાદ 1
ગાંંધીનગર 1
કચ્છ 1
મહીસાગર 6
પંચમહાલ 3
પાટણ 1
સુરત 26
વડોદરા 19
કુલ 326
(8:09 pm IST)