Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કઠલાલમાં બીમારીથી કંટાળી 56વર્ષીય આધેડે નહેરમાં ઝંપલાવી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

કઠલાલ તાલુકાના રવદાવતમાં રહેતાં ૫૬ વર્ષીય ભરતભાઈ મગનભાઈ શર્મા છેલ્લાં કેટલાક સમયથી મસાની બિમારીથી પિડાતાં હતાં. બીમારીથી કંટાળેલા ભરતભાઈએ આજરોજ સવારના સમયે કઠલાલ પોલીસ મથક પાછળથી પસાર થતી નહેરના વહેતા પાણીમાં જંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:22 pm IST)