Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં કોટડામાં મૃતકની અંતિમ વિધિમાં સ્મશાનમાં 25 લોકો એકઠા થતા જાહેરનામાનો ભંગ:ગુનો દાખલ

અમદાવાદ:શહેર કોટડામાં એક મૃતકની અંતિમ ક્રિયામાં સ્મશાનમાં 25 લોકો એકઠા થતા તેમની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોધવામાં આવ્યો છે.

બાપુનગરમાં રહેતા અને ચામુંડા સ્મશાનગૃહમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ચિંતનસિંહ ભૂપતસિંહ ગોહિલે પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને જણાવ્યુ હતુ કે બીમારીના કારણે મૃત્યુ પામેલા દશરથભાઈ કેશાભાઈ પટણી રહેવાસી અસારવા ચમનપુરા જેમના મૃતદેહને અંતિમ વિધિ માટે લઈને 20થી વધુ શખ્સો આવ્યા છે.

(5:16 pm IST)