Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં કોરોના કેર સેન્ટરમાં પોજીટીવ દર્દીઓને યોગ્ય સમયે જમવાનું સહીત પીવાનું પાણી ન મળતા હોબાળો મચી જવા પામ્યો

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં આવેલા સમરસ કોરોના કેર સેન્ટરમાં કોરોના પોઝીટીવ દર્દીઓને સમયસર ગરમ પાણી અને જમવાનું ન મળતું હોવાના મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો છે.

ગઈકાલથી પણીની બોટલ આપવાનું બંધ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.

એટલું જ નહીં વારંવાર રજૂઆત છતાં સમયસર ભોજન, પીવા માટે ગરમ પાણીની નહીં મળતું હોવાની રજૂઆત સાથે હોબાળો મચાવવામાં આવ્યો છે. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવા પ્રયાસ કરી રહી છે.

(5:16 pm IST)