Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમારો પક્ષ પ્રચારમાં કમજોર છે ત્યારે ભાજપ પોતાને ઇમાનદાર સાબિત કરી દે છેઃ હાર્દિક પટેલ

રાજકોટ તા. ૧: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે જણાવ્યું છે કે, અમારો પક્ષ પ્રચારમાં કમજોર છે. તેથી ભાજપ પોતાને ઇમાનદાર સાબિત કરી દે છે.હાર્દિક પટેલે ટવીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ સરકાર ઇમાનદાર છે. ભાજપવાળા કોંગ્રેસને ખોટા ભ્રષ્ટાચારમાં સંડોવીને લોકોને ગુમરાહ કરે છે. આજે ભાજપના રાજમાં અસંખ્ય ભ્રષ્ટાચાર થયા છે.હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસ સરકારે ખેડૂતોનું દેણું માફ કર્યું છે. જયારે ભાજપ સરકારે ઉદ્યોગપતિઓનું દેણું માફ કર્યું છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ જ અંત છે.હાર્દિક પટેલે આ અગાઉ રાજયમાં કોરોના મહામારી મુદ્દે કેન્દ્ર અને રાજય સરકાર સામે આક્ષેપો  કરીને જાણી જોઇને ''કોરોના''ના ઓછા ટેસ્ટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

(3:00 pm IST)