Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જામનગર જી.જી. હોસ્પિટલના

ડો. અંજલી કનખરાને અમદાવાદ સીવિલમાં કોરોના વોરીયર્સની જવાબદારી સોંપાઇ

જામનગર, તા. ૧ : કોરોના મહામારીને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા જામનગર જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતી ડો. અંજલિ રાજેશભાઇ કનખરાને ગુજરાતની પ્રથમ ગણાતી સીવિલ હોસ્પિટલ અમદાવાદમાં કોરોના વોરીયર્સ તરીકે મોકલતા ભાનુશાળી સમાજ તેમજ કનખરા પરિવારનું ગૌરવ વધારેલ છે. મા હિંગળાજ લોકોની સેવા કરીને જલદી બધાને સ્વસ્થ કરે તેવી પ્રાર્થના ડો. અંજલીએ તથા તેમના પરિવારજનોએ કરી છે.

(1:04 pm IST)