Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોનાને અટકાવવા 'MEN'થી દૂર રહો અને 'WOMEN'ને અનુસરો

ડો. આર કે પટેલે કહ્યું કે, કોરોનાની દવા ન શોધાય, ત્યાં સુધી સાવચેતીપૂર્વકની રહેણીકરણી એ જ અત્યારે એકમાત્ર ઉપાય છે. સાત પગલાંની ટિપ્સને અનુસરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ, સફાઈ અને માસ્કને રોજિંદી આદત બનાવીએ

અમદાવાદ,તા.૧:: રાજય સરકાર સંચાલિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના માનદ નિયામક અને નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડો. આર.કે. પટેલ જણાવે છે કે, કોરોના એ તોફાની બાળક જેવો છે, તેને કાબૂમાં લેવા માટે અત્યંત સાવચેતીપૂર્વક વર્તવું પડશે. કોરોનાથી કે તેની સારવાર કરાવવાથી ડરવાની જરૂર નથી. તેઓ કોરોના સંક્રમણને અટકાવવા માટે સાત પગલાંની સરળ થિયરી આપે છે. આ માટેની ટિપ્સ આપતા તેઓ MEN અને WOMEN એવા ટૂંકાક્ષરોનો ઉપયોગ કરીને જણાવે છે કે MENથી દૂર રહો એટલે કે, મોંઢા, આંખોઅને નાક – ના વારંવાર સ્પર્શવાનું ટાળો અને WOMENના અનુસરો એટલે કે, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું, નિયમિત એકસરસાઇઝ અને નકારાત્મકતાનો ત્યાગ કરવા જણાવે છે.

સામાન્ય નાગરિકોમાં કોરોના અંગે હજી પણ પ્રવર્તી રહેલી અસમંજસ અને ગૂંચવણ અંગે ડો. પટેલ જણાવે છે કે, 'આજની સોશિયલ મીડિયાની દુનિયામાં આપણી પાસે કોરોનાને લગતી અઢળક માહિતી આવતી હોય છે, જેમાંથી સાચું શું અને ખોટું શું? એ બાબતે આપણે હંમેશાં ગૂંચવણમાં હોઈએ છીએ.' ત્યારે કોરોના અંગે માહિતી આપતા તેઓ કહે છે કે, 'COVID-19 હવે બે મહિનાથી વધુ જૂનો થયો છે. તાવ, શરદી, સૂકી ઉધરસ, શરીરમાં થાક કે સામાન્ય દુખાવો, માથું દુખવું, સ્વાદ અને સુગંધનો અનુભવ ન થવો, શ્વાસ લેવામાં તકલીફ કે ઝાડા-ઉલટી જેવાં સામાન્ય લક્ષણો ઉપરાંત અનેક કિસ્સામાં કોઈ લક્ષણ ન દેખાય એવું પણ બને છે.'

તેમણે જણાવ્યું કે, COVID-19એ તોફાની બાળક જેવો છે. જેમ ઘરના તોફાનીને આપણે અત્યંત સાવચેતીપૂર્વક કાબૂ કરીએ છીએ, એ જ રીતે આ વાઇરસને કાબૂમાં કરવા માટે પણ ખૂબ સાવચેતી રાખવી પડશે. કેવા પ્રકારની સાવચેતી રાખવી? તેનું ઉદાહરણ આપતા ડો. પટેલ જણાવે છે કે, ઘરમાં કે આસપડોશમાં કોઈને પણ જરા સરખા પણ કોવિડ-૧૯ના લક્ષણો હોવાનું જણાય, તો તરત તેને હોસ્પિટલે જવાની સલાહ આપવી જોઈએ. આજના સમયની આ જરૂરિયાત છે. આ જ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી. જો આપણે તેનાથી ડરીને રહીશું, તો આ મહામારીને ખતમ કરવી વધારે મુશ્કેલ બની જશે.

ખાસ કરીને વડીલો અને બ્લડ પ્રેશર, હૃદયની બીમારી, ડાયાબિટીસ, કેન્સર, દમ, કિડની અને લીવર જેવી બીમારીથી પીડાતા લોકોએ નિયમિત રીતે તેમના ડાઙ્ખકટરની સારવાર લેતા રહેવી જોઈએ અને તેમની બીમારીને કાબૂમાં રાખવી જોઈએ.

ડો. આર.કે. પટેલ જણાવે છે કે, આ વાઇરસનો ઉપાય જયાં સુધી ન શોધાય, ત્યાં સુધી તેને નાથવો શકય નથી. એટલા માટે આપણે તેની સાથે જીવતાં શીખવું પડશે અને આ માટે સાવધાની એ જ એકમાત્ર ઉપાય છે.

દરમિયાન, કોરોનાની સામે ઝીંક ઝીલવા માટે ભારત સરકાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજય સરકાર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાનશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા લેવાયેલા અને લેવાઈ રહેલાં લોકડાઉન, ગરીબોને મફત અનાજ, કોવિડ હોસ્પિટલોની અલાયદી વ્યવસ્થા, આરોગ્ય સેતુ એપ, ટેસ્ટિંગ, સર્વેલન્સ, કોવિડ-૧૯નાં બંધારણ અને તેની રસી શોધવા માટે કરાઈ રહેલાં રિસર્ચ સહિતનાં સીમાચિહ્રનરૂપી નિર્ણયોને ડો. આર.કે. પટેલે બિરદાવ્યા હતા.

તદુપરાંત, લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે ખડેપગે રહેતા પોલીસકર્મીઓ, આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ, મીડિયાકર્મીઓ ઉપરાંત તમામ સરકારી તંત્રોનો આભાર માનતા ડો. પટેલે જણાવ્યું કે, આપણે સાથે મળીને જ આ જંગ જીતી શકીશું. તેમણે કોરોના વોરિયર એવા આરોગ્યકર્મીઓને કોરોનાથી ડર્યા વિના પૂરતી સેફ્ટી અને તકેદારીપૂર્વક ફરજ નિભાવવાની સલાહ આપતાં કહ્યું કે, આ માટે સામાન્ય નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. અલગ-અલગ આંગળીના બદલે એક મુઠ્ઠી તરીકે જ આપણે કોરોનાને હરાવી શકીશું. એટલા માટે કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા તમામ કોરોના વોરિયર્સને પૂરતો સહકાર આપીને આમ નાગરિકો પણ કોરોના વોરિયર તરીકેની તેમની ફરજ સુપેરે નિભાવે તેમ તેમણે ઉમેર્યું હતું.

COVID-19ના ફેલાતો અટકાવવા માટે ડો. આર.કે. પટેલે એક ટૂંકાક્ષરી મંત્ર આપતા કહ્યું કે, COVID-19ના સામનો કરવા માટે ‘MEN’થી દૂર રહો - એટલે કે, આ વાઇરસ મોંઢા, આંખો અને નાક દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે, આથી પ્ં્યદ્દત્ર્ - મોઢું, ચ્ક્કફૂસ્ન – આંખો અને ફંસ્નફૂ – નાકને વારંવાર સ્પર્શવાનું ટાળો. જયારે અને ‘WOMEN’ને અનુસરો. એટલે કે, ‘W’ash Hands for 20 Seconds – વારંવાર હાથ ધોવા, ‘O’bey Social Distancing – સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરો, ‘M’ask use Properly – વ્યવસ્થિત રીતે માસ્કનો ઉપયોગ કરો, ‘E’xercise and Eat Healthy for Immunity – રોગપ્રતિકારક શકિત વધારવા કસરત કરો અને આરોગ્યવર્ધક ખોરાક લો અને ‘N’o Negative Thoughts – નકારાત્મક વિચારો ટાળો.(૨૨.૯)

સાવચેતીના આ સાત પગલા કયાં છે, તે અંગે ડો. પટેલ ઉમેરે છેઃ-

* હાથની વારંવાર સફાઈ, સાબુ વડે ૨૦ સેકન્ડ સુધી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.

* કોઈ પણ સપાટીને વારંવાર સ્પર્શ ન કરવો અને કોઈ જગ્યાએ સ્પર્શ કર્યા પછી હાથ વડે આંખ, નાક કે મોંઢાનો સ્પર્શ ન કરવો.

* તમારી અંગત કે વ્યકિતગત વસ્તુઓને અજાણી વ્યકિત સાથે શેર ન કરવી.

* શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા માટે પ્રોટીનવાળો ખોરાક લેવો અને વિટામિન – બી, સી, ડી તેમજ ઝિંક મળતું હોય, તેવા ખોરાકનું વધારે સેવન કરવું.

* માસ્ક અચૂક પહેરવું. જો તમે દર્દીના સીધા સંપર્કમાં ન હો, તો N-95 માસ્ક ફરજિયાત નથી, કાપડનું માસ્ક પણ ચાલે.

* સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. એટલે કે, અન્ય વ્યકિતથી ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર જાળવવું.

* બને ત્યાં સુધી જાહેરમાં ન થૂંકવું.

 

(11:07 am IST)