Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ગાંધીનગરના મેયરે ફરિયાદ મળતા જ કુલર અને આરો ચાલુ કરાવ્યો

લોકોને પાણી પીવા માટેની વ્યવસ્થા પુનઃ જીવીત કરી

 

ગાંધીનગર મનપામાં મેયરે ઉનાળામાં પાણી માટે અગાઉ બંધ કરી દેવાયેલું અને પ્રજાના પૈસે ઉભુ કરેલું આરો અને કુલરની વ્યવસ્થા ફરિયાદ મળતાની સાથે ચાલુ કરાવી લોકોને પાણી પીવા માટેની વ્યવસ્થા પુનઃ જીવીત કરી હતી.

    ટ્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા દ્વારા કુલર અને આરો મુકવામાં આવ્યા હતા. જેને પક્ષ પલ્ટો કરી આવેલા પ્રવિણ પટેલ દ્વારા બંધ રાખવામાં આવતું હતું. અનેક ફરિયાદો છતાં તેને ખોલવામાં આવ્યું હતું. નવા મેયર રીટાબેને ચાર્જ સંભાળતાની સાથે સૌથી માનવીય કામ કરી પ્રજા પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવી છે.

(11:40 pm IST)