Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નડિયાદ રેલવે સ્ટેશને વૃધ્ધ દંપતીને ધતુરાના બીજનો પાવડર ખવડાવી

દાગીનાની લુંટ કરનાર અમદાવાદના બબલી-બંટીને આજીવન કેદ

અમદાવાદના વૃધ્ધ દંપત્તિને ૩ વર્ષ પહેલાં નડીઆદના રેલવે સ્ટેશને ચામાં ઘેનયુક્ત પ્રવાહી પીવડાવીને બેભાન કર્યા બાદ ૬૨ હજારના દાગીના તફડાવી લેનાર બંટી-બબલીને નડીઆદની કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સદા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. વધુ માત્રામાં ઘેનયુક્ત પ્રવાહી પીવડાવવાને કારણે વૃદ્ઘ દંપતીનું સારવાર દરમ્યાન મોત થયું હતુ.
બેભાન દંપતીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું નડિયાદના એડિ. સેશન્સ જજ વી. ડી. પરમારે સરકારી વકીલની દલીલો તેમજ પુરાવા ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે 

(8:15 pm IST)