Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આણંદ જિલ્લામાં સર્જાયેલા ૪ અકસ્માતમાં ૪ના મોત: ૨ ઘાયલ

ગઈકાલ સાંજથી વહેલી સવાર દરમિયાન તારાપુર-સોજીત્રા રોડ, ભેટાસી રોડ, કીંખલોડ ચોકડી અને જાખલા પાસે અકસ્માતો સર્જાયા

આણંદ જિલ્લામાં છેલ્લા 10 કલાકમાં સર્જાયેલા જુદા-જુદા ચાર જેટલા અકસ્માતોમાં ચારના મોત થયા હતા જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આણંદ જિલ્લાના  તારાપુર-સોજીત્રા રોડ, ભેટાસી રોડ, કીંખલોડ ચોકડી અને જાખલા પાસે અકસ્માતો સર્જાયા હતા. અકસ્માતોના પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો જેને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્લીયર કર્યો હતો. આ ચારેય ઘટના સંદર્ભે જે તે પોલીસ મથકોએ ગુનાઓ દાખલ થવા પામ્યા છે

(8:14 pm IST)