Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

જંબુસર નજીક ઝાડ પર પ્રેમી યુગલનો આપઘાત

જંબુસર: જંબુસરના મહાપુરા રોડ પર આવેલી કરશનકીલાની વાડીમાં આમલીના વૃક્ષ પર પ્રેમી યુગલે સાગમટે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હોવાની ઘટનાથી પંથકમાં ચકચાર જાગી હતી. યુવાનનો તેની પત્ની સાથે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને તરૂણી સાથે પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જંબુસર પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના મહાપુરા રોડ પર આવેલી કરશનકીલાની વાડી ખાતે રહેતાં કનુભાઇ લક્ષ્મણભાઇ વાઘેલાના પુત્ર કલ્પેશના પહેલાં લગ્ન થયાં હતાં. જોકે કોઇ કારણસર તેમના દાંપત્ય જીવનમાં ખટરાગ થતાં કલ્પેશ અને તેની પત્ની વચ્ચે આમોદ કોર્ટમાં દાવાનો કેસ ચાલી રહ્યો હતો. બીજી તરફ કલ્પેશને જંબુસરના જ તાડીયા હનુમાન ફળિયામાં રહેતી નયના રાજેશ માળી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

(6:31 pm IST)