Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નડિયાદના નવા બિલોદરામાં આર્થિક તંગીના કારણે યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નડિયાદ:ના નવા બિલોદરા ખાતે આવેલ કર્મવિર-૫માં રહેતા આશાસ્પદ યુવકે ગત મોડીરાત્રે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. વહેલી સવારે નડિયાદ ગ્રામ્ય પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં પરીવારજનોની માફી માગી હતી, અને કોઇના પણ દબાણ વીના આર્થિક સંકળામણના લીધે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવા બિલોદરા ખાતે કર્મવીર-૫માં આવેલ એ-૬૭ નંબરના મકાનમાં કુલદીપ દેવ કૌશિક પોતાના પરીવાર સાથે રહેતો હતો. કુલદીપને પરીવારમાં માતા,પિતા, પત્નિ અને એક દિકરો છે. વેકેસન હોવાથી તેની પત્નિ અને દિકરો પિયરમાં ગયા હતા. જ્યારે પિતા રેલવેમાં નોકરી કરતા હોવાથી તેઓ અમદાવાદ ખાતે રેલવેમાં નોકરી ગયા હતા. દરમ્યાન ગતરાત્રીના કૌશીકે પોતાના રૂમમાં પંખે લટકી ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પત્નિની સાડી વડે ગળે ફાસો ખાનાર યુવક કુલદીપ દેવ કૌશિક શા માટે આત્મહત્યા કરી તે બાબતે તેના પરીવારજનો કઇ જ જાણતા ન હતા. પરંતુ પોલીસે તેના રૂમની તલાસી લેતા કૌશીકે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પોતાની મરજીથી આત્મહત્યા કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. કૌશીકે લખ્યુ ંહતુ કે છેલ્લા કેટલાક સમયથી તેની પાસે કોઇ નોકરી ન હતી, જેના કારણે તે આર્થીક સંકળામણ સહન કરી રહ્યો હતો. તેણે આ પ્રકારનું પગલુ ભરવા બાબતે સુસાઇડ નોટમાં પોતાના પરીવારજનોની માફી પણ માંગી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

(6:28 pm IST)