Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમદાવાદમાં અસ્થિર મગજની મહિલાની લાશ ઓવરબ્રિજ પાસેથી મળી આવતા તપાસ શરૂ

અમદાવાદ:માં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક કરપીણ હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શાહીબાગ ઓવરબ્રિજ નીચેથી મોડી રાતે એક મૃત હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. ઓવરબ્રિજ પાસે આવેલા રબારી વસાહતમાં રહેતી ૩૫ વર્ષીય સંગીતા દંતાણીની હત્યા કરાયેલી લાસ મળી આવી હતી. મૃતક યુવતી અસ્થિર મગજની હોવાથી રાત્રીના સમયે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી જયારે મોડી રાતે યુવતીના ભાઈ વિનોદે તપાસ કરતા ઘરમાં નહોતી અને આસપાસમાં તપાસ કરતા બ્રિજ નીચેથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવતીને માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા નિપજવામાં આવી છે. યુવતી છેલ્લા 15 વર્ષથી તેના મોટા ભાઈ વિનોદ દંતાણી સાથે રહેતી હતી. 15 વર્ષ પહેલા યુવતીના લગ્ન થયા હતા પરંતુ અસ્થિર મગજ હોવાથી છૂટાછેટા થઇ જતા ભાઈ સાથે રહેતી હતી ત્યારે અસ્થિર મગજની યુવતીની હત્યા થતા પોલીસ પણ દોડતી થઇ ગઈ છે.

(6:28 pm IST)