Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વાસદ નજીક આંકલાવડીમાં સવારના સુમારે કેરોસીન છાંટી સળગતી પત્નીને બચાવવા જતા પતિને ઇજા

વાસદ:નજીક આવેલા આંકલાવડી ગામે આજે સવારના સુમારે કેરોસીન છાંટીને સળગતી પત્નીને બચાવવા જતાં પતિ પણ દાઝી જતાં બન્નેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અંગે વાસદ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવડી ગામે રહેતા શાંતાબેન મંગળભાઈ પરમાર (ઉ. વ. ૫૦)આજે સવારના સાતેક વાગ્યાના સુમારે પોતાના શરીર પર કેરોસીન છાંટીને સળગતા ચુલામાંથી આગ લઈને ચાંપી દેતા ભડભડ સળગવા લાગ્યા હતા જેથી એકદમ જાગી ગયેલા પતિ મંગળભાઈ ચન્દ્રસિંહ પરમાર (ઉ. વ. ૫૭)બચાવવા ગયા હતા જ્યાં તેઓ પણ દાઝી ગયા હતા. ત્યારબાદ ઘરના અન્ય સભ્યો તથા પડોશીઓએ દોડી આવીને આગ ઓલવી બન્નેને સારવાર માટે વાસદની સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
 

(6:28 pm IST)