Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સુરતના કોસંબા નજીક બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાયવરનું મોત :20થી વધુ લોકોને ઇજા

કાલાવડથી સુરત જઈ રહેલી બસને અકસ્માત:પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો

સુરત :કોંસબા નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 ઘટનાની વિગત અનુસાર કોસંબા નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મુંબઈ જતા હાઈવે નં-8 પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. જ્યારે બસમાં સવાર 20 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાલાવડથી સુરત જઈ રહેલી બસને આ અકસ્માત નડ્યો હતો.

જો કે સમગ્ર ઘટનાની પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને 108ની મદદથી તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(1:21 pm IST)