Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પ૮માં ગૌરવ દિવસ-સ્થાપના દિવસનો પ્રારંભ મહાગુજરાત ચળવળના પ્રણેતા પૂજય ઇન્દુચાચા યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કરીને કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ શહીદ સ્મારક ખાતે જઇને પણ મહાગુજરાત ચળવળમાં પણ પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. આ વેળાએ અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઇ શાહ, ધારાસભ્ય શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી રાકેશભાઇ શાહ અને પદાધિકારીઓએ પણ ભાવાંજલિ આપી હતી.

(10:09 am IST)