Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમદાવાદના આશ્રમ રોડના દેવાનંદન મોલના ચોથા માળેથી ઝંપલાવીને યુવતીનો આપઘાત

ડિપ્રેશનને કારણે આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ

 

અમદાવાદ :અમદાવાદના આશ્રમ રોડ આવેલા દેવનંદન મોલ પરથી ઝંપલાવીને એક યુવતીએ આત્મહત્યા કરી છે. યુવતી છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં રહેતી હોવાથી તેણે આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે અમદાવાદના આશ્રમ રોડ આવેલા દેવનંદન મોલ પરથી ઝંપલાવીને એક યુવતીએ આત્મહત્યા કરી છે. સવારના દસ વાગ્યાની આસપાસ ખાડિયા વિસ્તારમાં રહેતી કોમલ મહેતા નામની યુવતીએ દેવનંદન મોલના ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરી છે. જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવતી છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી અને તેને કારણે તેણે પ્રકારનું પગલું ભર્યું છે.

   યુવતી ડિપ્રેશનની અસર તેની યાદશક્તિ પર પડી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને તેને નોકરીમાં પણ સમસ્યા થઇ રહી હતી. અને આત્મહત્યા કરવા પાછળ તે પણ કારણ જવાબદાર હોઇ શકે તેવી શક્યતા પોલીસ સુત્રોએ સેવી છે.
  
હાલમાં પોલીસએ યુવતીના મૃતદેહનું પોસ્ટમો્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે તપાસ બાદ હકીકતનું કારણ જાણવા મળશે.

ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા સુરતમાં માતાએ પોતાના પુત્રને બિલ્ડિંગ ઉપરથી ફેંકીને પોતે મોતની છલાંગ લગાવી હતી. આમ માતા પુત્રના મોતથી સ્થાનિક રહિશોમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી.

(12:43 am IST)