-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
ગુજરાતની જનતા ઉપર કોઇ વધારાનો વેરા બોજ નહીં આવેઃ ગુજરાત રાજ્ય વ્યાપાર વ્યવસાય ધંધા અને રોજગાર વેરા વિધેયક-૨૧ વિધાનસભામાં રજુ કરતા નીતિનભાઇ પટેલ
ગાંધીનગર: વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર ઉપર ૧૯૭૬ ના વેરા અધિનિયમ હેઠળ કરવેરા વસૂલ કરવામાં આવતા હતા ઉપર ૧૯૭૬ના વીરા અધિનિયમ હેઠળ કરવેરા વસૂલ કરવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૭ થી જીએસટીનો અધિનિયમ આવતાં ૧૯૭૬ વેરા અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ તમામ વ્યવસાય વ્યાપાર ધંધા રોજગાર પર ૨૦૧૭ ના જીએસટી અધિનિયમ હેઠળ વેરો વસૂલ કરવામાં આવશે તેવો ટેકનીકલ સુધારો ગુજરાત રાજ્ય વ્યાપાર વ્યવસાય ધંધા અને રોજગાર વેરા (સુધારા) વિધેયક ૨૦૨૧ વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું કે ૨૦૧૭ ના જીએસટી અધિનિયમ થી ગુજરાતની પ્રજા પર કોઈપણ વધારાનો કરબોજ આવતો નથી પરંતુ વેટમાં જે કરદાતાઓ કર ભરતા હતા તે જ કરદાતાઓ જીએસટીમાં સમાનવેરો ભરવાપાત્ર થાય છે. નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે પ્રતિમાસ ૬ હજારથી ઓછી આવક વાળા ને શૂન્ય, ૬,૦૦૦થી ૯,૦૦૦ ની આવક વાળાને રૂપિયા ૮૦, ૯ હજારથી ૧૨ હજારની આવક વાળાને રૂપિયા ૧૫૦ તેમજ ૧૨ હજારથી વધુ આવક ધરાવનારને રૂપિયા ૨૦૦ વેરો ભરવાનો થાય છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે અગાઉ વ્યવસાય વેરાની આવક રાજ્ય સરકારની તિજોરીમાં જતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ને આર્થિક રીતે સદ્ધર કરવા જે તે વિસ્તાર માંથી મળેલ પ્રોફેશનલ ટેક્સ નો ઉપયોગ સંબંધિત સ્થાનિક સ્વરાજ્યમાં કરવાનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સરકારી તેમજ જાહેર ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ ના પગાર ના પ્રોફેશનલ ટેક્સની આવક જ માત્ર રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે આ સિવાયના વ્યવસાય ધંધા-રોજગાર માંથી મળતા વ્યવસાય વેરા સંબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પોતાના વિકાસ માટે ઉપયોગમાં લઇ રહી છે.
એમ પણ કહ્યું કે વ્યવસાય વેરાની વસૂલાત વધુમાં વધુ વાર્ષિક ૨૫૦૦ રૂપિયા સુધીની જ કરવામાં આવે છે.નાયબ મુખ્ય મંત્રીએ વર્ષ ૨૦૧૯ ૨૦ ની મહાનગરપાલિકાઓની વ્યવસાય વેરા ની વિગતો આપતા જણાવ્યું કે અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૮૩ કરોડ સુરતમાં ૧૪૮ કરોડ વડોદરામાં રૂપિયા ૧૫૦ કરોડનો તેમજ રાજકોટમાં રૂપિયા ૧૩૦ કરોડ વ્યવસાય વેરાની આવક થઇ છે. નાયબ મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય વ્યવસાય વ્યાપાર ધંધા અને રોજગાર વેરા સુધારા વિધેયક ૨૦૨૧ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું તેને પસાર કરવામાં આવ્યું હતું.