Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

હોસ્પીટલોમાં ૪૦ ટકા બેડ ઉપલબ્ધ છેઃ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધિ પાની

રાજકોટઃ. સુરતમાં કોરોના કેસ પ્રસરતા બેડ ફુલ થયાની વાત અંગે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધિ પાનીએ જણાવ્યુ હતુ કે, સુરતમાં જુદી જુદી હોસ્પીટલમાં ૪૦ ટકા બેડ ખાલી છે. લોકોને ચિંતા કરવાની જોઈ જરૂર નથી.

બંછાનીધિ પાનીએ વધુમાં જણાવ્યુ કે લોકોનો અમુક હોસ્પીટલોમાં જ સારવાર લેવાનો આગ્રહ હોવાથી જાણીતી હોસ્પીટલો ફુલ થઈ ગઈ છે.

(4:14 pm IST)