Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા બે વર્ષમાં બે ગુના દાખલઃ રાજય ગૃહમંત્રી

કોંગ્રેસના હર્ષદ રીબડીયાના પ્રશ્નનો જવાબ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ જુનાગઢ એ.સી.બી. પોલીસ સ્ટેશનના લાંચ લેતા પકડાયેલ અધિકારીઓ કર્મચારીઓ અંગે કોંગ્રેસના હર્ષદ રીબડીયાના પ્રશ્નના ઉત્તરમાં રાજય ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે તા.૩૧/૧૨/૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા કુલ-૨ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ બે ગુનાઓમાં એક કેસમાં રૂ.૧૮ લાખની લાંચ અને બીજા ગુનામાં ૧૫ લાખની લાંચની માંગણી કરેલ છે તેવો સ્વીકાર કરવામાં આવેલ છે.

આ ગુનાની તપાસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ચાર્જસીટ પણ કરવામાં આવેલ છે. એક ગુનામાં રૂ.૧૮ લાખ કબજે લીધેલ છે. બીજા ગુનામાં લાંચની માંગણીનો કેસ કોઇ તેમાં કોઇ રકમ કબજે લેવામાં આવેલ નથી. આવા કિસ્સાઓમાં કોઇપણને છોડવામાં આવશે નહિ. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

(3:10 pm IST)