Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજ્યની આર્યુર્વેદિક - હોમિયોપેથી કોલેજોમાં 15 ટકા બેઠકો નેશનલ ક્વોટામાંથી ભરાશે: નીતિનભાઈ પટેલ

બંને કોલેજોની કુલ 5929 બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ અપાશે

ગાંધીનગર:ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ સો ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજની તમામ શાખાઓમાં જે રીતે 15% નેશનલ કોટાથી પ્રવેશ અપાય છે. તે જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમાં 15 ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે તે મુજબ હવે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં પણ 15 ટકા નેશનલ કોટાથી મેરિટના આધારે પ્રવેશ આપવાનો નિર્ણય કરે છે.

તેમણે ઉમેર્યું કે રાજ્યમાં હાલ આયુર્વેદિકની 30 કોલેજો કાર્યરત છે તેમાં 2340 બેઠકો તથા હોમિયોપેથીની 35 કોલેજો કાર્યરત છે જેમાં 3589 બેઠકો ઉપલબ્ધ છે. આ બંને કોલેજોની મળી કુલ 5929 બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેમા રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. આ માટે ફી નિયત કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટીની રચના કરાઈ છે એ કમિટી જે ફી નકકી કરશે એ મુજબ ફી નિયત કરાશે.

(10:45 pm IST)