Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજપીપળા નાગરિક સહકારી બેંકના આસી.મેનેજર વય નિવૃત્ત થતા સૌએ શુભેચ્છાઓ પાઠવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નાગરિક સહકારી બેંક લી.ના આસિસ્ટન્ટ મેનેજર નીતિનભાઈ મલાવીય વય નિવૃત થતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત તમામ સ્ટાફ મેમ્બરએ તેમને આ કોરોના કાળમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી અને નિવૃત્તિ બાદનું તેમનું જીવન અને પરિવારજનોનું પણ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી આશા વ્યક્ત કરી હતી.નીતિનભાઈ મલાવીયા છેલ્લા લગભગ 31 વર્ષ થી આ બેંકમા ફરજ પર હતા તેમને ક્લાર્ક તરીકે શરૂઆતમાં ફરજ બજાવ્યા બાદ આજે આસી. મેનેજર પદેથી તેઓ નિવૃત થયા છે.

(10:29 pm IST)