Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં રૂ. 98.28 લાખનો ખર્ચે 822 શૌચાલય બનાવાયા

 અમદાવાદ :રાજ્યની 15મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત કેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે તેની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ ગૃહમાં રજૂ કરી હતી. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં 822 શૌચાલય બનાવવામાં આવ્યા છે. આ શૌચાલય બનાવવા પાછળ સરકારે કુલ રૂ. 98.28 લાખનો ખર્ચ કર્યો છે.

 ભારત સરકાર દ્વારા 2014માં ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરા વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે સ્વચ્છ ભારત મિશન શરૂ કરાયું છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં તાલુકાવાર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. હાલ જ્યારે 15મી વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત થયેલા કામની વિગતો ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીએ ગૃહમાં રજૂ કરી હતી.
આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11.16 લાખના ખર્ચે 91, ગોંડલમાં 4.92 લાખના ખર્ચે 47, જામકંડોરણામાં 10.32 લાખના ખર્ચે 86, જસદણમાં 7.56 લાખના ખર્ચે 63, જેતપુરમાં 8.76 લાખના ખર્ચે 72, કોટડાસાંગણીમાં 7.68 લાખના ખર્ચે 56, લોધીકામાં 4.68 લાખના ખર્ચે 39, પડધરીમાં 1.08 લાખના ખર્ચે 9, રાજકોટ તાલુકામાં 8.40 લાખના ખર્ચે 70, ઉપલેટામાં 27.84 લાખના ખર્ચે 239 અને વિંછીયામાં 5.88 લાખના ખર્ચે 50 શૌચાલયો બનાવવામાં આવ્યા હોવાની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી

(7:21 pm IST)