Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જૂના ઘર પર મનોજ દાવો કર્યા પછી શું તેમને માટે આ આખરી તણખલું હશે?

સિરીયલ ‘વાગલે કી દુનિયા'માં

(કેતન ખત્રી) અમદાવાદઃવાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્‍સે સોની સબ સામાન્‍ય માનવીના જીવન ફરતે વીંટળાયેલો છે. વાગલે પરિવારમાં આક્રમક હરકતો સાથે ઊથલપાથલ મટાવ્‍યા પછી આ સપ્તાહની વાર્તા મનોજ વાગલે (વિપુલ દેશપાંડે) પર કેન્‍દ્રિત હશે, જે આખરે જાહેર કરે છે તે પરિવારના દ્યરની પાછળ છે.

વાગલે પરિવાર સાથે ચોંકાવનારી જીભાજોડીમાં મનોજ શ્રીનિવાસનું જૂનું ઘર તેને નામે કરવા માટે રાજેશ (સુમીત રાઘવન) અને શ્રીનિવાસ (અંજન શ્રીવાસ્‍તવ) સામે અલ્‍ટિમેટમ રાખશે.રાજેશ વાગલેની ભૂમિકા ભજવતો સુમીતા રાદ્યવન કહે છે, ‘રાજેશ અને મનોજ વચ્‍ચે ચાલતા વિખવાદે વાગલે પરિવાર માટે ભાવનાત્‍મક ભંગાણ સર્જયું છે અને મનોજ હવે દાદરનું દ્યર માગશે, જે વાર્તાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. દર્શકોને આખરે ખ્‍યાલ આવશે કે મનોજ કોણ છે અને તેના અસલી હેતુ શું છે.

(3:48 pm IST)