Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજ્યમાં મ.ન.પા.ની ચૂંટણી માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી

અમદાવાદ-૫, રાજકોટમાં-૩, વડોદરામાં ૨, જામનગરમાં ૩ અને સુરતમાં ૩ તથા ભાવનગરમાં ૨ નિરીક્ષકોની નિમણૂક

રાજકોટ, તા. ૧ :. રાજ્યની મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસે રાજ્યની તમામ મહાપાલિકાઓના ચૂંટણી નિરીક્ષકોની નિમણૂકો કરી લીધાનું જાણવા મળ્યુ છે.જાણવા મળ્યા મુજબ અમદાવાદના નિરીક્ષક તરીકે ૫ લોકોની નિયુકિત કરાઈ છે. જેમાં સી.જે. ચાવડા, યુનુસ પટેલ, દીપક બાબરીયા, અલ્કાબેન પટેલ અને નિરંજન પટેલ પણ નિયુકત કરાયાનું જાણવા મળ્યુ છે. જ્યારે વડોદરાના નિરીક્ષક તરીકે ગૌરવ પંડયા અને ઈન્દ્રવિજય ગોહિલ અને જામનગરના નિરીક્ષક તરીકે ખુરશીદ શેખ અને રાજુ પરમાર તથા ચંદ્રીકાબેન ચુડાસમાની નિરીક્ષક તરીકે નિયુકિત કરાયાનું તેમજ સુરતના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખ અને વિરજી ઠુંમરની નિમણૂકો થઈ છે. ઉપરાંત રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમી યાજ્ઞિક તેમજ નરેશ રાવલ અને ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકા. આમ આ તમામની ચૂંટણી નિરીક્ષકો તરીકે નિમણૂકો કરાયાનું જાણવા મળ્યુ છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત હવે પછી થનાર છે.

(3:48 pm IST)