Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મેઘરજમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના સંયુક્ત ઉપક્રમે કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો.

અરવલ્લીના મેઘરજમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કિસાન સંમેલન સંપન્ન....

   અરવલ્લી જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગ્રામવિકાસની સાથે સાથે  ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે ,રિલાયન્સ ફાઉન્ડેશન પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપની પણ અહીંના ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા સતત પ્રયત્નશીલ રહેવાનું કામ કરે છે

   તાજેતરમાં  રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના મેઘરજ તાલુકાના ગામો સાથે  પી.સી.એન સ્કૂલ મેઘરજ  ખાતે  કિસાન સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો ,જેમાં મેઘરજ તાલુકાના 150 ખેડૂત મિત્રો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો  
       ઉપરોક્ત કાર્યક્રમમાં કૃષિ પોલિટિક કોલેજના આચાર્ય ડો જે.આર.પટેલ સાહેબના અધ્યક્ષ હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો  ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ, સમગ્ર કાર્યક્રમને ઉત્સવમાં  ફેરવામાં આવ્યો હતો ,    કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્ષેત્રના ગામોમાંના શ્રેષ્ઠ સક્રિય  ખેડૂત  આગેવાનોની કામગીરીને બિરદાવવામાં આવી પ્રોત્સાહિત એવોર્ડ આપવામાં આવ્યા હતા.
       ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ  કૃષિ પોલિટિક કોલેજના આચાર્ય ડો જે.આર.પટેલ સાહેબ દ્વારા ખેડૂતો ને ઓર્ગેનીક ખેતીની સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણો ,કે.વી.કે.ના વિવિધ નિદર્શનો તથા ઓર્ગેનીક ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,

        કાર્યક્રમમાં  મેઘરજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સુથાર સાહેબ દ્વારા  ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ઓર્ગેનિક ખેતી પદ્ધતિની વિસ્તૃત સમજણ ઉભી થાય તે માટે  આવા અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં પર ભાર મુક્યો હતો  
      પ્રસ્તુત કાર્યક્રમમાં સરકારી વિભાગના આત્મા દ્વારા અમૃતમ મહોત્સવના ભાગરૂપે ઓર્ગેનિક ડેમો દ્વારા ઉત્પાદિત શાકભાજી સ્ટોલ મુકવામાં મૂકી ઓર્ગેનિક શાકભાજીનું મહત્વ અંગે સમજણ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.
         ઉપરોક્ત કાર્યક્રમમાં ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના ચેરમેન દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અહીંના વિસ્તારને ધ્યાનમાં રાખીને ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતોના ઉત્થાન માટે જે કામગીરી કરવામાં આવેલ છે તે અંગે માહિતગાર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. ઉપરાંત ગિરિમાળા કંપનીમાં આગામી બિઝનેશ પ્લાન અંગે પણ સમજ આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
   કાર્યક્રમને સફળ બનાવવા પોલિસેન ઇરિગેશન એરિયા મેનેજર સહભાગી થઈ અહીંના વિસ્તારને ધ્યાનમાં રાખી ખેડૂતોને ટેકનિકલ મદદની સાથે સાથે  નિર્દશન કરી ખેતી વિષયક માર્ગદર્શન આપવાની ખાત્રી આપી હતી,
   કાર્યક્રમના અંતમાં રિલાયન્સ ફાઉન્ડેશનના  પ્રતિનિધિ મારફતે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

(9:10 am IST)