Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ છતાં રામોલમાં ફાયરિંગમાં યુવકનું મોત : ભુદરપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

એલિસબ્રિજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને ટોળાને વિખેર્યા

 

અમદાવાદ : ગુજરાતનો 2020 નો અંતિમ દિવસ લોહિયાળ રહ્યો હતો. રામોલમાં ફાયરિંગમાં એક યુવકની હત્યા બાદ પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ હોવા છતા પણ પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના ભુદરપુરામાં પથ્થરમારાની ઘટના બની હતી. સ્થાનિક બે જુથો વચ્ચે જ પથ્થરમારો થયાનો મેસેજ આવતા પોલીસ દોડતી થઇ હતી. ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પોલીસ પહોંચી હતી. તમામ ટોળાઓને વિખેરીને રાત્રી પેટ્રોલિંગ કર્યું હતું. એલિસબ્રિજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને સ્થિતીને થાળે પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રી કર્ફ્યૂં હોવા છતા પણ પથ્થરમારો થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે

(12:37 am IST)