Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળામાં બીજેપી કાર્યકરો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્લમ વિસ્તાર માં 500 જેવા ધાબળાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ ઘણા દિવસોથી રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોય કેટલાક આર્થિક રીતે નબળા પરિવારો ગરમ વસ્ત્રો વગર ઠંડીમાં ઠુઠવાતા હોવાથી નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની રાહબરી હેઠળ બીજેપી કાર્યકર્તા અને સામાજિક કાર્યકરોએ ગરમ ધાબળાનું વિતરણ કર્યું જેમાં મુકેશભાઈ પટેલ, કુલદીપ સિંહ ગોહિલ,હિમાન્શુ ભાઈ પટેલ, કિંજેલબેન્ તડવી, ભારતીબેન તડવી તથા બીજેપી નાંદોદના કાર્યકર્તાઓ દ્વારા રાજપીપળા સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ લોકોને શિયાળાની ઠંડીથી રાહત મળે તે હેતુ થી 500 જેવા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.ધાબળા વિતરણમાં કમલેશભાઈ પટેલ તથા એ.પી.એમ. સી ચેરમેન દિનેશભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

(11:05 pm IST)