Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

આણંદ: સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ: ઉમરેઠમાંથી 208 ગુણી ઘઉંનો શંક્સ્પદ જથ્થો જપ્ત

ઉમરેઠ પોલીસે ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

આણંદ :રાજ્યમાં એક બાદ એક ભ્રષ્ટાચારના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે હવે આણંદમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે ઉમરેઠમાંથી 208 ગુણી ઘઉંનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો.

આ અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરાયો હોય તેવી આશંકાના પગલે પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉમરેઠ પોલીસે ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

(10:10 pm IST)