Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

અમદાવાદ લઠ્ઠાકાંડને આરોપી જયેશ ઠકકર ફરાર

અમદાવાદ તા.૧: ૨૦૦૯માં અમદાવાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનો સુત્રધાર આરોપી જયેશ ઠક્કર ફરાર થતા દોડધામ મચી ગઇ છે.

અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા ૧૭૫ લોકોને અસર થઇ હતી. જેના કારણે ૧૫૬ લોકોના મોત થયા હતા અને ૧૭૫ લોકોને આ લઠ્ઠાકાંડમાં અસર થઇ હતી.

ભૂતકાળમાં પણ લઠ્ઠાકાંડને લઇને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ૨૦૦૯માં અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડની ઘટનાને પગલે જયેશ ઠક્કર નામના શખ્સની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરતા તેને સજા થતાં જેલમાં મોકલવામાં આવેલ પરંતુ તે તાજેતરમાં વચગાળામાં જામીન મેળવી જેલમાંથી બહાર નીકળ્યો હતો.

પરંતુ અચાનક આરોપી ફરાર થઇ જતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને જયેશને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.

(3:41 pm IST)