Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ખાંડ પર સેસ લગાવવા સરકારની વિચારણા સુગરફંડસ બનાવવા માટે લેવાઈ શકે નિર્ણય

રાજકોટ, તા.૭ :  ખાંડ ઉપર સેસ લગાડાઇ તેવી શકયતા છ. જે અંગેનો નિર્ણંય આગામી થોડા દિવસોમાં લેવાઈ તેવી શકયતા છે. ખાંડ મિલોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી મંડળે ખાદ્ય મંત્રાલય પાસે અમુક સલાહોની માગ કરી હતી. જે અંતર્ગત, સરકાર ખાંડ પર સેસ લગાવવા પર વિચાર કરી રહી છે.

સેસની રકમ દ્વારા શૂગર ફંડ્સ બનાવવાનો પ્રસ્તાવ સરકાર સામે આવી રહ્યો છે. બે મંત્રાલયોના પ્રતિભાવો મેળવ્યા બાદ ખાદ્ય મંત્રાલય આ અંગે અંતિમ નિર્ણય થોડા જ દિવસોમાં લેશે તેવી ધારણા કરવામાં આવી રહી છે. હાલમાં ડારેકટ ટેકસ સાથે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સેસનો સમાવેશ થાય છે.

(9:44 am IST)