Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

પ્રેમ, દેખભાળ અને દયાની હમેંશા જીત થાય : અનંગ

અભિનેતા અનંગ દેસાઇ ટીવી પરદે  સોનીના શો મેરે સાઇમાં ગજાનન નામનું પાત્ર ભજવી રહ્યા છે. પ્રતિભાશાળી અભિનેતા અનંગે કહ્યું હતું કે ગજાનન એક સમર્પિત પારિવારીક પુરૂષ છે. પરંતુ કેટલીક દૂર્ભાગ્યપુર્ણ ઘટનાઓ અને હાલાતને કારણે પરિવાર તેનાથી દૂર જતો રહે છે. જે પ્રેમ તેને પરિવારથી નથી મળ્યો તેને મેળવવાના પ્રયાસમાં તેના મનમાં કડવાહટ ભરાઇ ચુકી છે અને તે આક્રમક થઇ ગયો છે. તે જબરદસ્તીથી સાઇનો પ્રેમ પામવા ઇચ્છે છે. અનંગે આગળ કહ્યું કે ગજાનનની જિંદગીમાં ઘટેલી ઘટનાઓને કારણે તેના વ્યવહારમાં અધિકારભાવ આવી ગયો છે. પરિવારથી પ્રેમ ન મળતાં તે પરાણે સાઇ પાસેથી પ્રેમ ઇચ્છે છે. પણ આ ખોટુ છે. અનંગ કહે છે સિરીયલના આ ટ્રેકથી મને સમજાયુ કે રક્ષાત્મક બનવું અને તેના પર અધિકાર જમાવવો એમાં બહુ ફરક છે. પ્રેમ, દેખભાળ અને દયાની હમેંશા જીત થાય છે. નબળાઇ અને અસુરક્ષામાંથી બહાર નીકળી આગળ વધવાની સાઇ આપણને શીખામણ આપે છે. હું વ્યકિતગત રીત પણ તેમાં શ્રધ્ધા ધરાવુ છું.

(9:35 am IST)