Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે ગોવિંદાએ કરી મુલાકાત

મુંબઈ:  જાણીતા અભિનેતા ગોવિંદાએ  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ગોવિંદા સવારે ગોરખપુરના મહાયોગી ગુરુ ગોરખનાથ મંદિરે પહોંચ્યા અને શિવાવતારી બાબા ગોરખનાથની પૂજા કરી. બાદમાં તેઓ મુખ્ય પ્રધાનને મળ્યા અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા.આ દરમિયાન તેમણે ગોવિંદાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર, પ્રયાગરાજ કુંભ 2019 પુસ્તક રજૂ કર્યું. યોગીએ ગોવિંદાને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ નિર્માણ અને તેનું શૂટિંગ પ્રમોટ કરવા માટે અહીં કામ કરવા જણાવ્યું હતું.ગઈકાલે રાત્રે ગોવિંદાએ સૈયદ મોદી રેલ્વે સ્ટેડિયમ સંકુલમાં આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 50 વ્યક્તિત્વનું સન્માન કર્યું હતું.

(5:20 pm IST)