Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પાગલપંતિમાં ભરપૂર કોમેડીનો ડોઝ

અનિલ કપૂર, જોન અબ્રાહમ અને અરશદ વારસી સહિતના કલાકારોની ફિલ્મ પાગલપંતીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં ઈલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઉર્વશી રોૈતેલા અને સૌરભ શુકલા જેવા કલાકારો પણ છે. બાવીસમી  નવેમ્બરના આ ફિલ્મ રિલીઝ થશે. અનીસ બઝમીએ તેનું નિર્દેશન કર્યુ છે. ટ્રેલર જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કંન્ફયૂઝનથી ભરેલી આ સ્ટોરી લોકોને કેટલી પસંદ આવશે.ઙ્ગફિલ્મની ટેગ લાઈન છે- દિમાગ મત લગાના કયોંકી ઈનમેં હૈ નહીં. આ કારણે દર્શકોમાં અનેકગણીં ઉત્સુકતા છે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી. પણ મરજાવાં સાથે ટકરાય નહીં તે માટે જોને ફિલ્મને પાછળ ધકેલી હતી. હવે પાગલપંતી એકલી રિલીઝ થશે. ટ્રેલર જોતાં જ લાગે છે કે ભરપૂર કોમેડીનો ડોઝ છે.  પહેલાં આ ફિલ્મનું નામ સાઢે સાતી રાખવામાં આવ્યું હતું અને તેમાં અજય દેવગણ હતો, પરંતુ બીજી ફિલ્મમાં વ્યસ્ત હોવાના કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ જોન અબ્રાહમને લેવામાં આવ્યો અને ફિલ્મનું નામ પણ બદલી નખાયું હતું.  આ એક એવા માણસની કહાની છે જેને સાત વર્ષની પનોતી ચાલી રહી હોય છે.  આ કારણે તેની સાથે કેવી કેવી ઘટના ઘટે છે તે દર્શાવાયું છે.

(10:23 am IST)